World

ચીનનાં રાષ્ટ્રપતિનો ગલવાન હિંસા પછી પહેલો ભારત પ્રવાસ:જિનપિંગ BRICSમાં ભાગ લેશે

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની સંભાવના છે. જો આ બેઠક થાય છે, તો જૂન 2020માં થયેલી ગલવાન હિંસા પછી બંને નેતાઓની ભારતમાં આ પ્રથમ દ્વિપક્ષીય વાતચીત હશે.

પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીને બાદમાં તેના 4 સૈનિકોના મૃત્યુની વાત સ્વીકારી હતી.

નવી દિલ્હીમાં 12-13 સપ્ટેમ્બરે BRICS શિખર સંમેલન યોજાવાનું છે. તેમાં ચીન-રશિયા સહિત 11 દેશો ભાગ લેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભારત આવી રહ્યા છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ 24 ઓગસ્ટે ચીન ગયા હતા. ત્યાં 25 ઓગસ્ટે તેમણે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે સરહદી વિવાદ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

સરહદી વિવાદ સહિત અનેક મુદ્દાઓ ભારતના એજન્ડામાં

ભારત અને ચીન વચ્ચે માત્ર સીમા વિવાદ જ નહીં, પરંતુ વેપાર અને આર્થિક સંબંધો પણ વાતચીતનો એક ભાગ છે. ભારત ચીન સાથેની પોતાની મોટી વેપાર ખાધ ઘટાડવા માંગે છે. આ ઉપરાંત, રેર અર્થ મેગ્નેટ અને ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ જેવા જરૂરી સામાનના સપ્લાયને લઈને પણ ભારત પોતાની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button