Sports

દુબઈથી સીધી અમદાવાદ આવશે એશિયન ચેમ્પિયન્સ ટીમ, ગિલ, બુમરાહ સહિતના પ્લેયર્સ આવતીકાલે ITCમાં

એશિયા કપ 2025માં શાનદાર વિજય મેળવીને નવમો ટાઇટલ પોતાના નામે કરનાર ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે, 30 સપ્ટેમ્બરે, વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જેમાં ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ, લોકલ બોય જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ આવશે, સાથે કુલદીપ યાદવ પણ તેમની સાથે હશે. તો હેડ કોચ ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ જોડાઈ જશે.

ભારતીય ટીમ દર વખતની જેમ આ વખતે પણ ITC નર્મદામાં ઊતરી રહી છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં ઊતરે છે ત્યારે હોટલ કંઈક ને કંઈક વેલકમ માટે સરપ્રાઇઝ આપી શકે છે. હવે જ્યારે એશિયા કપ જીત્યા પછી ‘ઓપરેશન સિંદૂર’ ટ્રેન્ડિંગમાં છે, ત્યારે હોટલ આ વખતે પણ પ્લેયર્સને કંઈક સરપ્રાઇઝ આપી શકે છે. એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 146 રનમાં ઓલઆઉટ કરીને 147 રનનો લક્ષ્યાંક 5 વિકેટે હાંસલ કર્યો હતો.તિલક વર્માની 69 રનની અણનમ ઇનિંગ્સ અને કુલદીપ યાદવના 4/30ના પ્રદર્શને ભારતને જીત અપાવી. આ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને ત્રણેય મેચોમાં હરાવ્યું, જે રાજકીય તનાવ વચ્ચે ખાસ મહત્વ ધરાવે છે.

કેપ્ટન સૂર્યકુમારે જણાવ્યું, “આ જીત દેશના ગૌરવની પ્રતીક છે.હવે અમે ટેસ્ટ ક્રિકેટમાં પણ આ જ ઉત્સાહ જાળવીશું.”અમદાવાદ એરપોર્ટ પર ટીમના આગમન માટે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ટીમ અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામે 2 ઓક્ટોબરથી શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે તૈયારી કરશે. પ્રથમ ટેસ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે. આ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27નો ભાગ છે, જે ભારત માટે મહત્વની છે. શુભમન ગિલ ત ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટનશિપ કરશે, જ્યારે રવિન્દ્ર જાડેજા ઉપકેપ્ટન તરીકે તેમની સાથે રહેશે. રિષભ પંતની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ અને એન. જગદીશન વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સ્પિન-ફ્રેન્ડલી હોવાની સંભાવના છે, જેમાં અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા મહત્વની ભૂમિકા ભજવશે. જસપ્રીત બુમરાહ, જે ઈંગ્લેન્ડ શ્રેણીમાં વર્કલોડને કારણે રમ્યો ન હતો, આ શ્રેણીમાં ઝડપી બોલિંગનું નેતૃત્વ કરશે.વેસ્ટ ઈન્ડીઝની ટીમ હાલમાં નબળી બેટિંગ લાઇનઅપ સાથે સંઘર્ષ કરી રહી છે, જે ભારત માટે ફાયદો બની શકે છે.શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ આ શ્રેણીમાં ડોમિનેટ કરવા માંગશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મજબૂત સ્થાન મેળવવા માટે મહત્વની છે. અમદાવાદના ચાહકો ટીમનું ભવ્ય સ્વાગત કરવા તૈયાર છે, અને ટિકિટ વેચાણ ઝડપથી થઈ રહ્યું છે. એશિયા કપની જીતે ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, અને હવે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં પણ આ જ લય જાળવવા માટે ઉત્સુક છે. આ શ્રેણી ભારતીય ચાહકો માટે એક રોમાંચક અનુભવ બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button