National

દિલ્હી લિકર પોલિસી કેસ, CBI મામલે કેજરીવાલ અને સિસોદિયા મુક્ત:કોર્ટે કહ્યું, ચાર્જશીટમાં ખામી

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટની બહાર નિવેદન આપતી વખતે અરવિંદ કેજરીવાલ રડી પડ્યા. મનીષ સિસોદિયાએ તેમને સાંત્વના આપી.મેં જીવનમાં ઈમાનદારીની કમાણી કરી છે. તેમણે ખોટા કેસ દાખલ કર્યા. આજે એ સાબિત થયું છે કે કેજરીવાલ ખૂબ જ પ્રામાણિક છે. મનીષ સિસોદિયા ખૂબ જ પ્રામાણિક છે, અને આમ આદમી પાર્ટી પણ ખૂબ જ પ્રામાણિક છે. હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે સત્તા માટે દેશ સાથે આ રીતે રમત ન રમો. બંધારણ સાથે આ રીતે રમત ન રમો. જો તમને સત્તા જોઈતી હોય તો સારું કામ કરો. આજે દેશ ઘણી બધી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. દેશમાં મોંઘવારી, બેરોજગારી, તૂટેલા રસ્તાઓ છે, દરેક જગ્યાએ પ્રદૂષણ છે. દરેક જગ્યાએ ઘણી બધી સમસ્યાઓ છે. તેમને ઉકેલીને સત્તામાં આવો. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે ખોટા કેસ કેમ દાખલ કરો છો? સારું કામ કરીને સત્તામાં આવો. આવા ખોટા કેસ દાખલ કરવા અને વિપક્ષ સામે સતત વાહિયાત કેસ દાખલ કરવા અને તેમને જેલમાં ધકેલી દેવા એ વડાપ્રધાનને શોભતું નથી. આ દેશને આગળ ધપાવશે નહીં. દેશ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે જનતાની સમસ્યાઓનું નિરાકરણ આવશે.

દરમિયાન, મનીષ સિસોદિયાએ કોર્ટના નિર્ણય અંગે કહ્યું, “અમને ફરી એકવાર આપણા બંધારણ પર અને બી.આર. આંબેડકર પર ગર્વ છે, જેમણે આપણને આવું બંધારણ આપ્યું. સત્યનો ફરી એકવાર વિજય થયો છે.”

રાઉઝ એવન્યુ કોર્ટના 7 મુખ્ય પોઈન્ટ

  • કોર્ટે તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
  • હજારો પાનાની ચાર્જશીટમાં અસંખ્ય ખામીઓ છે, અને તેમાં લગાવવામાં આવેલા આરોપો કોઈપણ સાક્ષી કે નિવેદન દ્વારા સાબિત થયા નથી.
  • સીબીઆઈ સિસોદિયા સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગઈ.
  • કેજરીવાલનું નામ કોઈ નક્કર પુરાવા વગર ઉમેરવામાં આવ્યું હતું. જ્યારે આ કેસમાં બંધારણીય પદ ધરાવતી વ્યક્તિનો સમાવેશ થાય છે, ત્યારે નોંધપાત્ર સામગ્રી વગર આરોપો લગાવવા એ કાયદાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કોઈપણ નિવેદન કે પુરાવાના અભાવે કેજરીવાલને કાવતરાંના ભાગ તરીકે બતાવવા યોગ્ય નથી.
  • ચાર્જશીટમાં અસંખ્ય બાબતોનો સમાવેશ થાય છે જેનો સાક્ષીના નિવેદનો સાથે કોઈ સંબંધ નથી. ચાર્જશીટમાં એવા વિરોધાભાસ છે જે કથિત કાવતરાંના સમગ્ર સિદ્ધાંતને નબળો પાડે છે.
  • મુખ્ય આરોપી કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કરતા ન્યાયાધીશે કહ્યું કે આશ્ચર્ય એ છે કે જ્યારે તેમની સામે કોઈ નક્કર પુરાવા નહોતા ત્યારે તેમને પ્રથમ આરોપી તરીકે કેમ નામ આપવામાં આવ્યું.

સિસોદિયા પર લિકર પોલિસી ઘડવા અને અમલમાં મૂકવા માટે જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે કહ્યું કે તેમની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી અને તેમની સામે કોઈ જપ્તી કરવામાં આવી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button