National

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટો ધડાકો: ચંપત રાયના ડ્રાઈવર સહિત 8 આરોપીઓની ધરપકડ, ઘરોમાંથી લાખોની રોકડ જપ્ત

અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કેસમાં કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. એસઆઈટી (SIT) ના પ્રાથમિક તપાસ અહેવાલ આવ્યા બાદ રામ જન્મભૂમિ કોતવાલીમાં 8 આરોપીઓ સામે નામજોગ એફઆઈઆર નોંધીને ધરપકડ કરી લેવામાં આવી છે. આમાં ચંપત રાયના ડ્રાઈવર રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવનું નામ પણ સામેલ છે.

રામ મંદિર દાન ચોરી કેસમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય શ્રીકૃષ્ણ મોહનની ફરિયાદ  પર ટિન્નૂ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લ, સુભાષ ચંદ્ર શુક્લ, કરુણેશ પાંડે, મનીષ યાદવ અને રમાશંકર મિશ્રા સામે નામજોગ FIR નોંધવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 306, 316, 317, 317(4), 317(5), 61, 3(5) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.દાન ચોરી કેસમાં જે 8 લોકો સામે FIR નોંધવામાં આવી છે, તેમાંથી મોટાભાગના લોકો દાનની રકમની ગણતરી અને નાણાકીય બાબતોના કામકાજ સાથે જોડાયેલા છે. ચાલો તમને જણાવીએ કે આ તમામ 8 આરોપીઓ કોણ છે અને રામ મંદિરમાં તેમને શું જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નૂ યાદવ

આ કેસમાં સૌથી પહેલા જેનું નામ સામે આવ્યું તે રમાશંકર યાદવ છે, જેને ટિન્નૂ યાદવના નામે બોલાવવામાં આવે છે. ટિન્નૂ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો ડ્રાઈવર છે અને તેમનો ખૂબ જ નજીકનો માનવામાં આવે છે. ટિન્નૂને દાનપાત્રની દેખરેખ અને તેને બેઝમેન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આરોપ છે કે ટિન્નૂએ દાનપાત્રમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી અને પોતાની મિલકતો બનાવી.

લવકુશ મિશ્રા

આરોપીઓમાં બીજું નામ લવકુશ મિશ્રાનું છે. લવકુશ મિશ્રા દાન અને રોકડની ગણતરી  કરનારા કર્મચારીઓમાંથી એક હતો. તપાસ દરમિયાન તેના ઘરેથી 12 લાખ રૂપિયા કેશ મળી આવ્યા હતા.

અનુકલ્પ મિશ્રા

અનુકલ્પ મિશ્રા પણ એ લોકોની ટીમમાં હતો જેઓ રામ મંદિરના દાનની ગણતરી કરતા હતા અને ગણતરી ખંડમાં (કેશ કાઉન્ટિંગ રૂમ) રૂપિયા ગણતા હતા. આરોપ છે કે તે પૈસા ચોરીને બાથરૂમમાં છુપાવતો હતો. તેણે પણ કરોડોની સંપત્તિ બનાવી છે.

સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ

સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ રામ મંદિરના કેશ કાઉન્ટિંગ સ્ટાફનો પ્રભારી (ઇનચાર્જ) હતો. આરોપ છે કે તેણે જાણીજોઈને દેખરેખમાં બેદરકારી દાખવી અને દાનમાં જે રકમ આવતી હતી તેની ચોરીમાં તે પણ સામેલ રહ્યો.

કરુણેશ પાંડે

કરુણેશ પાંડે મંદિરના દાનમાં આવેલી રકમને ગણતરી ખંડ સુધી લાવતો હતો અને ગણતરીમાં પણ સામેલ રહેતો હતો. આરોપ છે કે તેણે મંદિરમાં ચોરી કરેલા પૈસાથી અયોધ્યા અને આસપાસના વિસ્તારોમાં જમીન ખરીદી હતી.

મનીષ યાદવ

રામ મંદિરના દાનની ગણતરીમાં મનીષ યાદવ પણ સામેલ હતો. તેના પર પણ દાનમાં ચોરી કરવાનો આરો છે. તેના ઘરેથી પોલીસને 36 લાખ રૂપિયા મળી આવ્યા છે.

અવિનાશ શુક્લા

અવિનાશ શુક્લા પાસે પણ દાનની રકમને દાનપાત્રમાંથી ગણતરી ખંડમાં લાવવાની અને તેની ગણતરી કરવાની જવાબદારી હતી. તેણે પણ મંદિરના પૈસામાં ગેરરીતિ કરી હતી.

રમાશંકર મિશ્રા

રમાશંકર મિશ્રા પાસે પણ દાનપાત્રમાંથી રકમ ગણતરી ખંડ સુધી લાવવાની અને તેની દેખરેખ રાખવાની જવાબદારી હતી. આરોપ છે કે તેણે પૈસાની ચોરી કરી અને પોતાની મિલકતો બનાવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button