Top In Ahmedabad
ટ્રાફિક સમસ્યા થી ત્રસ્ત આમ આદમી..


મંતવ્ય ઇન્ડીયા ની ટીમ ઘ્વારા, આજે રવિવારે સાંજ ના ૭:૩૦ વાગ્યે અખબાર નગર સર્કલ થી ડી માર્ટ રાણીપ સુધી અમારી ટીમ ઘ્વારા ટ્રાફિક નો સર્વે કરવામાં આવ્યો, જેમાં અમે જોયું , જ્યાં સુધી આમ આદમી ટ્રાફિક સમસ્યા ના ઉકેલ માં યોગદાન ન આપે, ત્યાં સુધી આ સમસ્યા ઉભી રહેશે …. લોકો નું ટ્રાફિક સિગ્નલ ની રાહ જોયા વગર નીકળી જવું, એકબીજા ની ખોટી રીતે ઓવરટેક્ કરવી, ઝડપ થી વાહન હાંકવું…આ બધું જોખમી ગણાય. અમારી ટીમે જોયું કે, ડી માર્ટ રાણીપ ની આગળ નો પાર્કિંગ નું બોર્ડ હોવા છતાં પણ કરેલ આડેધડ પાર્કિંગ ટ્રાફિક સમસ્યા માં વધારો કરી રહ્યા છે.
મંતવ્ય ઇન્ડીયા ટીમ ઘ્વારા આમ આદમી માટે એક અપીલ છે કે આપણે પોતાની જવાબદારી સમજી પ્રશાસન ને ટ્રાફિક સમસ્યા માં મદદરૂપ બનીશું તો આ સમસ્યા માંથી બહાર આવી શકીશું…




