GUJARAT

આસારામને રાહત નહીં, ગુજરાત હાઈકોર્ટ હંગામી જામીન વધારવાની અરજી ફગાવી

આસારામને ગુજરાત હાઇકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. તેમના હંગામી જામીન વધારવા માટે કરવામાં આવેલી અરજીનો હાઇકોર્ટે અસ્વીકાર કર્યો છે.. થોડા દિવસ પહેલાં આસારામે પોતાની તબિયત ખરાબ હોવાના આધારે સિવિલ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું અને વધારાના જામીનની માંગ કરી હતી. હાઇકોર્ટે આ અરજીનો અસ્વીકાર કર્યો છે.

કોર્ટે હાલ પૂરતી અરજી પર કોઈ નિર્ણય લીધો નથી અને કેસની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બર ના રોજ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ સુનાવણીમાં વકીલ દ્વારા કોર્ટને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ જ કોર્ટ આસારામની હંગામી જામીન અરજી પર કોઈ નિર્ણય લેશે. આ કેસ પર સૌની નજર રહેશે કારણ કે તે કાયદાકીય પ્રક્રિયા અને ન્યાયિક કાર્યવાહીનો એક અગત્યનો ભાગ છે.

27 જૂને ગુજરાત હાઇકોર્ટે 7 જુલાઈ સુધી આસારામના જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ 3 જુલાઈએ એક મહિનો અને 7 ઓગસ્ટ 2025એ ત્રીજી વાર જામીન લંબાવવામાં આવ્યા હતા. ત્યાર પછી ગુજરાત હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથી વાર ત્રણ સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button