GUJARAT

લોહાણા મહાપરિષદ ગ્લોબલ સરસ્વતી સન્માન – 2025માં હેતલભાઈ ઠક્કર સન્માનિત

શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત ગ્લોબલ સરસ્વતી સન્માન – 2025 નો ભવ્ય કાર્યક્રમ મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સમાજજનોની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો।

આ પ્રસંગે લોહાણા મહાપરિષદના પ્રમુખ તથા શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિડોર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમારંભ દરમિયાન કાર્યક્રમના ઈવેન્ટ એડવાઈઝર તરીકે વિશેષ યોગદાન આપનાર શ્રી હેતલભાઈ ઠક્કરને ડો. ડિડોરના વંદનીય હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા।

શ્રી હેતલભાઈ ઠક્કરે સમગ્ર આયોજનમાં માર્ગદર્શન, સંકલન અને દૃષ્ટિબળ પૂરું પાડ્યું હતું, જેના કારણે કાર્યક્રમ ભવ્યતા સાથે સફળતાપૂર્વક યોજાઈ શક્યો।

સન્માન પ્રસંગે સમાજના આગેવાનો તથા મહાનુભાવો દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો કે – “લોહાણા સમાજને હેતલભાઈ જેવા સમર્પિત યુવાનો પર ગર્વ છે, અને આવનારા સમયમાં પણ આવા નેતૃત્વથી સમાજ જ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રે વધુ ઊંચાઈ સર કરશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button