Sports

 રોહિત શર્મા પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ, આ ખેલાડી બન્યો વનડેનો કેપ્ટન, ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમનું એલાન

એશિયા કપ પૂર્ણ થયા બાદ ભારત હવે ઓસ્ટ્રેલિયા સામે વનડે અને ટી 20 રમવાનું છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન કરી દીધું છે. કેપ્ટન તરીકે શુભમન ગિલ અને વાઈસ કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરને રખાયો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું કમબેક થયું. આ બન્ને સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરાયા છે. સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવાયો છે.

ભારતની 15 સભ્યોની ODI ટીમ

ભારતની 15 સભ્યોની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા , વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ અરદીપ સિંહ, મોહમ્મદ અરશવ, કૃષ્ણા, ધ્રુવ સિંહ, (વિકેટકીપર) અને યશસ્વી જયસ્વાલ.

ભારતની 16-સભ્યોની T20I ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બૃહદ, અરદીપ સિંહ, અરદિપ રાણાવ, અરવિંદ રાઠવા સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.

વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરિણામે, બંને ભારત માટે ફક્ત એક જ વનડે ફોર્મેટમાં રમવા માટે લાયક છે. રોહિત અને વિરાટ છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યા હતા, જ્યાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

19 ઓક્ટોબર – પહેલી વનડે

23 ઓક્ટોબર – બીજી વનડે

25 ઓક્ટોબર – ત્રીજી વનડે

29 ઓક્ટોબર- પહેલી ટી 20

31 ઓક્ટોબર – બીજી ટી 20

2 નવેમ્બર- ત્રીજી ટી 20

6 નવેમ્બર – ચોથી ટી 20

8 નવેમ્બર – પાંચમી ટી 20

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે, જેમાં પ્રથમ ત્રણ ODI 19 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારબાદ 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર દરમિયાન 5 ટી 20 રમાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button