Top In Ahmedabad

અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ: જાણો શું છે ટાઈમિંગ

Oplus_131072

Indian Railways: ભારતીય રેલવે દ્વારા ગુજરાતમાં આધુનિક સુવિધાઓના વિસ્તાર માટે વધુ એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના અસારવા અને રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાની જાહેરાત કરવામાં આવી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે, જે પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે.

આ હાઈટેક ટ્રેનમાં આરામદાયક સીટો, સ્લાઈડિંગ દરવાજા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો-ટોયલેટ, સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક દરવાજા જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઉદ્ઘાટન રન: 16 ફેબ્રુઆરી 2026ના રોજ ટ્રેન નંબર 09663 બપોરે 12.25 વાગ્યે ઉદયપુરથી ઉપડી સાંજે 17.15 વાગ્યે અસારવા પહોંચશે.

નિયમિત સેવા: 18 ફેબ્રુઆરી 2026થી આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડશે.

ટાઈમિંગ: ટ્રેન નંબર 26964 અસારવાથી સાંજે 17.45 વાગ્યે ઉપડીને રાત્રે 22.00 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે પરતમાં ટ્રેન નંબર 26963 ઉદયપુરથી સવારે 06.10 વાગ્યે ઉપડીને સવારે 10.25 વાગ્યે અસારવા પહોંચશે.

સ્ટોપેજ: આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશન પર ઊભી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button