GUJARAT

અમદાવાદના વાસણા વોર્ડમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ, ધારાસભ્ય અમિત શાહે આપી જાણકારી

અમદાવાદના વાસણા વોર્ડમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા હતા. વાસણા વોર્ડમાં ભગવતી ભરવાડ બિનહરીફ થસે. વાસણા વોર્ડમાં OBC ઉમેદવાર ન હોવાથી બિનહરીફ વિજય થશે. ભાજપના ઉમેદવારો બિનહરીફ થતા ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, વાસણા વોર્ડમાં ભગવતીબેન બિનહરીફ થશે. બિનહરીફ થવાનું સર્ટિફિકેટ 15 એપ્રિલે મળશે.

ખેડા જિલ્લા પંચાયતની મહીજ બેઠક બિનહરીફ જાહેર થવા પામી છે. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેલ પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હરીફ ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા બિનહરીફ થઈ હતી. ભાજપે હિતેશ ગુલાબસિંહ તડવીને ટિકિટ આપી હતી. બિનહરીફ ઉમેદવાર હવે જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ પહેરશે. રોટેશન મુજબ મહીજ બેઠક જિલ્લા પંચાયતના પ્રમુખની દાવેદારીની છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 10 ના ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ્દ થયું હતું. શહેર પ્રમુખે મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ્દ થયું છે. ફોર્મ રદ્દ થયા પછી દુર્ગાવતી નિષાદે શહેર કોંગ્રેસ પ્રમુખ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપને ફાયદો કરાવવા ખેલ કર્યો છે. વિપુલ ઉધનાવાલાએ રૂપિયા લઈને ભાજપને ફાયદો કરાવ્યો છે. મારે ચૂંટણી લડવી છે અને મને કાંઈ થશે તો શહેર કોંગ્રેસ પ્રમુખ જવાબદાર રહેશે. સુરતમાં વોર્ડ નં. 12 ના કોંગ્રેસના ઉમેદવારનં ફોર્મ પણ રદ્દ થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button