Top In Ahmedabad

અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

અમદાવાદના રામોલ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 10 નિર્દોષ લોકોના મોત બાદ પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. બીજી તરફ બ્લાસ્ટ બાદ પ્રશાસને આસપાસ ધમધમતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ સામે પણ કાર્યવાહી કરીને તેને સીલ કરી દીધી છે.

બ્લાસ્ટની તપાસ માટે રચાયેલી SITમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરી, એસ ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ અને ઝોન-8ના ડીસીપી મયુર પાટીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર તપાસનું સુપરવિઝન સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ કરશે. નોંધનીય બાબત એ છે કે SITમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), કલેક્ટર કચેરી અથવા ઇલેક્ટ્રિકલ વિભાગના કોઈપણ અધિકારીને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા નથી. આ વિભાગોને માત્ર જરૂરી સંકલન અને માહિતી પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બ્લાસ્ટની ઘટના બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે. રામોલ અને આસપાસના વિસ્તારમાં ચાલતી અન્ય ચાર ફટાકડા ફેક્ટરીઓ પર તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે. જે ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે તેમાં કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી (વસ્ત્રાલ), મોહસિનખાન સિદ્દીકખાન પઠાણ (રામોલ), જીશાનુદ્દીન ઝહીરુદ્દીન સૈયદ (નારોલ) અને કમરૂદ્દીન બદરૂદ્દીન સૈયદની કિંગ ફાયર વર્ક્સનો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button