National

દિલ્હી બ્લાસ્ટનું પુલવામા કનેક્શન સામે આવ્યું, જમ્મુ કાશ્મીરના તારિકને વેચી હતી કાર

 દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા કાર વિસ્ફોટમાં પુલવામા કનેક્શન બહાર આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે (10 નવેમ્બર, 2025) દિલ્હીમાં વિસ્ફોટ થયેલી કાર પુલવામાના તારિકને વેચવામાં આવી હતી. વિસ્ફોટ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટના અંગે મંગળવારે (11 નવેમ્બર, 2025) ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવાની છે.

અગાઉ, અહેવાલો બહાર આવ્યા હતા કે વિસ્ફોટ થયેલી i20 કારનો અગાઉનો માલિક સલમાન હતો. પોલીસે તેની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ હવે RTO પાસેથી વાહનના વાસ્તવિક માલિકની ઓળખ કરવાનું કામ કરી રહી છે. HR26 નંબર ધરાવતું વ્હીકલ ગુરુગ્રામનું છે. તપાસમાં બહાર આવ્યું છે કે દેવેન્દ્રએ કાર હરિયાણાના અંબાલામાં કોઈને વેચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારની ખરીદી અને વેચાણમાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ અને LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે વિસ્ફોટની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ, NIA ટીમ, SPG ટીમ અને FSL ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને દરેક એન્ગલની ઝડપથી તપાસ કરી રહી છે.લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ CISF એ દિલ્હી-NCRમાં તેના સુરક્ષા કવચ હેઠળના તમામ સ્થાપનોને હાઇ એલર્ટ પર રાખ્યા છે. CISF એ જણાવ્યું હતું કે, “લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વાહનમાં થયેલા વિસ્ફોટને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો, લાલ કિલ્લા, સરકારી ઇમારતો અને IGI એરપોર્ટ સહિત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં CISF-સંરક્ષિત સ્થાપનોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કર્મચારીઓ સ્ટેન્ડબાય પર છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button