Top In Ahmedabad

અમદાવાદીઓ આનંદો! નવરાત્રિને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, મોડી રાત સુધી દોડશે

નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના મેટ્રોના સમયમાં મોડી રાત સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ગરબા રસિકોને અને મેટ્રોનો ઉપયોગ કરતાં મુસાફરોને સરળતાથી રાત્રિના સમયે અવરજવર કરવામાં મદદ કરશે.

  • તારીખ: ૨૬ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી
  • નવો સમય: રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી.
  • આ સમયગાળા દરમિયાન, રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી, દરેક મેટ્રો સ્ટેશન પરથી દર ૩૦ મિનિટે ટ્રેન ઉપલબ્ધ રહેશે.

રૂટ મુજબ મેટ્રો સેવાઓ

૧. વસ્ત્રાલ ગામ – થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર):

  • રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી.
  • છેલ્લી ટ્રેન વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ બંને સ્ટેશનો પરથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યે ઉપડશે.

૨. કોટેશ્વર રોડ – એ.પી.એમ.સી. (નોર્થ-સાઉથ કોરિડોર):

  • રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી.
  • છેલ્લી ટ્રેન કોટેશ્વર રોડ અને એ.પી.એમ.સી. બંને સ્ટેશનો પરથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યે ઉપડશે.

૩. મોટેરા સ્ટેડિયમ – સેક્ટર-૧, ગાંધીનગર:

  • મોટેરાથી સેક્ટર-૧: રાત્રિના ૧૦:૦૦, ૧૧:૦૦, ૧૨:૦૦, ૧:૦૦ અને ૨:૦૦ વાગ્યે ટ્રેન મળશે.
  • સેક્ટર-૧થી મોટેરા: રાત્રિના ૧૦:૦૦, ૧૧:૦૦, ૧૨:૦૦ અને ૧:૦૦ વાગ્યે ટ્રેન મળશે.
  • મોટેરા સ્ટેડિયમથી છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યે ઉપડશે.
  • સેક્ટર-૧થી છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના ૧:૦૦ વાગ્યે ઉપડશે.

ખાસ ટિકિટ અને નિયમો

  • લંબાયેલા સમય દરમિયાન મુસાફરી કરવા માટે રૂ. ૫૦ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.
  • આ ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ હશે.
  • આ ટિકિટનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે કરી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button