મોદી કેબિનેટનો મોટો નિર્ણય! અટલ પેન્શન યોજના 2031 સુધી લંબાવવામાં આવી


મોદી સરકારે અસંગઠિત અને ઓછી આવક વર્ગના કરોડો લોકોને મોટી રાહત આપતા અટલ પેન્શન યોજના (APY) ને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ યોજનાને 2030-31 સુધી યથાવત રાખવાને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી તે કામદારોને સીધો ફાયદો થશે, જેની પાસે નિવૃત્તિ બાદ નિયમિત આવકનું કોઈ સાધત હોતું નથી. સરકારના આ પગલાને વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
કેબિનેટના નિર્ણય હેઠળ અટલ પેન્શન યોજના માટે સરકારી સહયોગ જરૂરી રહેશે. તેમાં યોજનાના પ્રચાર-પ્રસાર, ક્ષમતા નિર્માણ અને વિકાસ સાથે જોડાયેલી ગતિવિધિઓ માટે ફન્ડિંગ સામેલ છે. આ સાથે યોજનાને આર્થિક રૂપથી ટકાઉ બનાવી રાખવા માટે ગેમ ફન્ડિંગને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં પેન્શન ચુકવણીમાં કોઈ સમસ્યા ન આવે.
અટલ પેન્શન યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર બાદ 1000 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીનું ગેરેન્ટેડ માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ લાભાર્થીના યોગદાન પર નિર્ભર કરે છે. આ યોજના ખાસ કરી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, દૈનિક વેતન મજૂરો, નાના વેપારીઓ અને ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા લોકો માટે બનાવવામાં આવી છે, જેને કોઈ પ્રકારની ઔપચારિક પેન્શન સુવિધા ઉપલબ્ધ હોતી નથી.
સરકારનું કહેવું છે કે અટલ પેન્શન યોજના લોકોને વૃદ્ધાવસ્થામાં નિયમિત આવકનો સહારો આપે છે અને વધુમાં વધુ લોકોને નાણાકીય સિસ્ટમમાં જોડવામાં મદદ કરે છે. આ કારણે યોજનાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે જાગરૂકતા વધારવા અને સાચી રીતે લાગૂ કરવા પર ભાર આપવામાં આવી રહ્યું છે. કેબિનેટનું માનવું છે કે યોજનાની પહોંચ વધારવા માટે સરકારનું સતત સમર્થન જરૂરી છે.સરકારી આંકડા પ્રમાણે 19 જાન્યુઆરી 2026 સુધી અટલ પેન્શન યોજનામાં 8.66 કરોડથી વધુ લોકો જોડાયા છે. સરકારનું માનવું છે કે યોજનાની લોકપ્રિયતા અને સ્થિરતા બનાવી રાખવા માટે લાંબા સમય સુધી સમર્થન જરૂરી છે. કેબિનેટનો આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે સરકાર સામાજિક સુરક્ષાને લઈને પોતાની જવાબદારી વધુ મજબૂત કરી રહી છે.




