સવારે કચ્છ તો અત્યારે…! આ જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 46 કિમી દૂર


પોરબંદર નજીક દરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીર્વતા 2.7 નોંધાવા પામી છે. સવારે 9.58 મીનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પોરબંદરથી 46 કિમી દૂર સમુદ્રમાં કેન્દ્ર બિંદુ નોંધાયું છે. સવારે કચ્છ જિલ્લામાં પણ 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ચાર દિવસ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વહેલી સવારે ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે કુલ ત્રણ વખત ધરા ધ્રુજી ઉઠી હતી.
થોડાદિવસ પહેલા જેતપુર પંથકમાં ભૂકંપના આંચકા સતત યથાવત રહ્યા હતા. વઘુ 4 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. સવારના 6 વાગ્યાથી બોપર 12 વાગ્યા સુધીમાં 11 ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
પ્રથમ ભૂકંપનો આંચકો વહેલી સવારે 6.19 મિનિટે અનુભવાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ફરી સવારે 6.55 મિનિટે અને 6.58 મિનિટે બે હળવા આંચકાઓ અનુભવાયા. અને આમ 3 આંચકા એકપછી એક અનુભવાતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. આ સિવાય જેતલસર, પેઢલા, સરધારપુર, નાની પરબડી અને મોટી પરબડી સહિત આસપાસના અનેક ગામોમાં પણ ભૂકંપના આચકાઓ અનુભવાયા હતા. વહેલી સવારે એક પછી એક આચકાઓ આવતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
આ ઉપરાંત, ગત રાત્રે 8.43 મિનિટે પણ આ વિસ્તારના કેટલાક ભાગોમાં ભૂકંપનો હળવો આચકો અનુભવાયો હતો. જોકે રાહતની વાત એ છે કે આ તમામ ભૂકંપના આચકાઓ દરમિયાન કોઈ જાનહાનિ કે મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.
આવો જાણીએ કે ભૂકંપ શું છે, ભૂકંપ કયા કારણે આવે છે તે પણ એક ખુબ જ મોટુ વિજ્ઞાન છે. ભૂકંપને તમે સરળ ભાષામાં આ પ્રકારે સમજી શકીએ છે કે જમીનની સપાટી નીચે થનારી હલચલના કારણે તેજ કંપન પેદા થાય છે. જેને ભૂકંપ કહે છે. અમેરિકાના અમેરિકન સર્વે અનુસાર એવું ત્યારે બને છે જ્યારે ધરતીના બે બ્લોક અચાનક એક બીજા પર ખસે છે. જેના કારણે જમા થયેલી ઉર્જા ભૂકંપીય તરંગો તરીકે બહાર નીકળે છે. આ તરંગો પૃથ્વીમાં ફેલાઈ જાય છે અને જેના કારણે જમીન હલવા લાગે છે.




