GUJARAT

રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત, આવતીકાલે સાડા અગિયાર વાગ્યે શપથગ્રહણ કાર્યક્રમ

રાજ્ય મંત્રી મંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.આવતીકાલે સાડા અગિયાર વાગ્યે નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે. આવતીકાલે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરના પદમાનિત મંત્રીઓને રાજ્યપાલ હોદા અને ગોપનિયતાના શપથ, શપથગ્રહણ માટે મહાત્મા મંદિરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. પક્ષના તમામ ધારાસભ્યોને બે દિવસ સુધી ગાંધીનગરમાં જ રહેવાની ભાજપના વિધાનસભાના દંડકે સૂચના પહોંચાડી દીધી છે. મોટા ભાગના ધારાસભ્યો આજ બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી ચુકવાના છે. જેમને હાલના મંત્રી મંડળમાંથી પડતા મુકવાના છે, તેમના રાજીનામા આજે જ લઈ લેવાના હોવાના કારણે મંત્રી મંડળના તમામ સભ્યો ઊંચાટના જીવ સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે.

હાલના મંત્રીમંડળમાંથી 11 મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી સંભાવના છે. નવા 16 ચહેરાનો મંત્રી મંડળમાં સમાવેશની શક્યતા છે. પડતા મુકાનાર મંત્રીઓના આજે રાજીનામા લેવાશે. શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બે દિવસ ગાંધીનગરમાં જ રહેવા BJP ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે.

કાલે રાજ્ય મંત્રી મંડળનું વિસ્તરણ થશે. 12 વાગ્યાને 39 મિનિટે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. જે.પી.નડ્ડા, અમિતભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ ગાંધીનગરમાં ઉપસ્થિત રહેનાર છે. મુંબઈના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી બપોર બાદ પરત ફરશે અને ત્યારે વિસ્તરણને લગતી ગતિવિધિઓ વેગવંતી થશે તે નિશ્ચિત છે. હાલના મંત્રી મંડળમાંથી 11ને પડતા મુકી નવા 16 સભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તેવી સુત્રોની જાણકારી છે. જોકે, હર્ષ સંઘવી અને પ્રફૂલ પાનસેરિયા સિવાય કોને રિપિટ કરાશે અને કોનું પત્તુ કપાશે તેને લઈ હજુ પણ અટકળો તેજ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button