National

આતંકવાદીઓ’ બે કારમાં આવ્યા હતા, હજુ એક રાજધાનીમાં ફરે છે’; દિલ્હી વિસ્ફોટમાં નવો ખુલાસો

Oplus_131072

દિલ્હી કાર બ્લાસ્ટ ઘટનાની તપાસનો ધમધમાટ ચાલે છે. આજે બ્લાસ્ટ્ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં વધુ એક શંકાસ્પદ આતંકવાદી હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. મસ્જીદ પાર્કિંગમાં અને ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા આ બાબતનો ખુલાસો થયો છે. એક આતંકવાદી દિલ્હી રજીસ્ટ્રેશન નંબરવાળી લાલ ઇકો સ્પોર્ટ કારમાં ફરી રહ્યો છે. જેને પગલે દિલ્હી પોલીસ સહિત રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચ્યો છે. આ તપાસ સામે આવતાં સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ મૂકવામાં આવ્યું છે. તમામ વીવીઆઈપી, ઐતિહાસિક અને બજાર સ્થળો, ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે.

દિલ્હી પોલીસના વરિષ્ઠ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરીદાબાદમાં પોલીસ કાર્યવાહી બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલના શંકાસ્પદો બે કારમાં દિલ્હી પહોંચ્યા હતા. લાલ કિલ્લાની સામે હરિયાણા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી એક કાર વડે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી કાર હજુ પણ દિલ્હીમાં સરેઆફ ફરી રહી છે. લાલ રંગની ઈકો સ્પોર્ટ્સ કારનો રજિસ્ટ્રેશન નંબર DL-10 CK 045 છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને કાર એકસાથે દિલ્હી આવીને ચાંદની ચોક પાર્કિંગમાં પણ સાથે હતી. આ કારનો શંકાસ્પદ વ્યક્તિ i20 કારમાં શંકાસ્પદો સાથે વાત કરી હતી. બંને કાર બદરપુર બોર્ડરથી એકસાથે દિલ્હીમાં પ્રવેશીને ચાંદની ચોક અને લાલ કિલ્લાની આસપાસ એકસાથે ફરતી હતી.

દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવાર મોડી રાત સુધી કાર કે તેમાં રહેલા શંકાસ્પદો વિશે કોઈ કડી મળી નથી. હાલ સમગ્ર દિલ્હીમાં નાકાબંધી ગોઠવી વાહનોની તપાસ શરૂ કરવામાં આવી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ નજીક મળેલા બે કારતૂસ પોલીસના નહોતા એટલે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ ચિંતિત છે.

દેશમાં આતંક ફેલાવવાનું એક મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતથી લઈને દિલ્હીથી છેક કાશ્મીર સુધીના આતંકવાદનો સમાવેશ થાય છે.

સુરક્ષા એજન્સીઓની પ્રારંભિક તપાસમાં લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ ડર અને બેદરકારી જવાબદાર હોવાનું જણાવાયું છે. આતંકવાદીઓ દિલ્હીમાં દહેશત ફેલાવવામાં સફળ થયા હોઈ શકે છે, પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા દેશમાં આતંક ફેલાવવાના અથવા દેશની અંદર કોઈ મોટા આતંકવાદી કાવતરાના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button