Top In Ahmedabad

અમદાવાદ: પાણીપુરીની લારીઓ પર લાગશે ક્યુઆર કોડ, કેમ AMCએ લીધો આ નિર્ણય?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરની સ્ટ્રીટ ફૂડની લારીઓ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો ફૂડની ગુણવત્તા અંગે સીધો જ પોતાનો પ્રતિસાદ એટલે કે ફિડબેક આપી શકશે.

અમદાવાદમાં અંદાજે 1500થી વધુ પાણીપુરીની લારીઓ કાર્યરત છે. અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલ ટેસ્ટિંગમાં ‘અનસેફ’ જાહેર થયા હતા, જેને પગલે અનેક લારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને AMC દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે સૌપ્રથમ પાણીપુરીની લારીઓ પર આ QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય સ્ટ્રીટ ફૂડની લારીઓ પર પણ આ વ્યવસ્થા શરૂ કરાશે.

દરેક રજિસ્ટર્ડ લારી પર એક વિશિષ્ટ QR કોડ પ્રદર્શિત કરવામાં આવશે. ગ્રાહકો તેને સ્કેન કરીને ફૂડની ગુણવત્તા, સ્વચ્છતા અને પીરસવાની પદ્ધતિ વિશે પોતાનો અભિપ્રાય આપી શકશે. આ ડેટા સીધો કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે પહોંચશે, જેના આધારે જે-તે લારી ધારક સામે જરૂરી સૂચના અથવા કાર્યવાહી કરી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button