World

ઇઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેર્ઇનું મોત, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેર્ઇ અવસાન થયું છે. તેમની સાથે પરિવારના ચાર અન્ય સભ્યોનું પણ અવસાન થયું છે. ઈરાની મીડિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. પ્રેસ ટીવીએ અહેવાલ આપ્યો છે કે, ખામેનેર્ઇની હવે નથી રહ્યા. તેમના મૃત્યુ બાદ 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં તણાવ હજુ પણ ઊંચો છે. ઇઝરાયલી અને અમેરિકન હુમલાના જવાબમાં, ઈરાને અનેક યુએસ લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા. દરમિયાન, ખામેનેર્ઇની તેમની પુત્રી, જમાઈ અને પૌત્રીનું એક સાથે (1 માર્ચ, 2026) મૃત્યુ થયું છે.

જ્યારે મૃત્યુના અહેવાલો ફરતા હતા, ત્યારે ઈરાનની અન્ય મુખ્ય સમાચાર એજન્સીઓ, તસ્નીમ અને મેહરે, સંપૂર્ણપણે અલગ વાર્તા રજૂ કરી. તેમણે જણાવ્યું હતું કે, 1989 થી ઈરાનનું નેતૃત્વ કરી રહેલા આયાતુલ્લાહ અલી ખામેની જીવંત છે. આ અહેવાલોએ સ્પષ્ટ કર્યું કે ઈરાનમાં પણ, આ સમાચાર વિશે અલગ અલગ રીતે દાવા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે હુમલા પછી ખામેનીનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, આ દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય સંગઠન કે સ્વતંત્ર સ્ત્રોતે આ સમાચારની પુષ્ટિ કરી નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, 86 વર્ષીય આયાતુલ્લા અલી ખામેનેર્ઇ લશ્કરી કાર્યવાહીમાં માર્યા ગયા છે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ખામેનેર્ઇ ઇતિહાસના સૌથી દુષ્ટ લોકોમાંના એક હતા અને તેમના મૃત્યુને ન્યાયની નિશાની ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બોમ્બમારો એક અઠવાડિયા સુધી અથવા મધ્ય પૂર્વ અને વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય ત્યાં સુધી વિરામ વિના ચાલુ રહેશે. ટ્રમ્પના નિવેદન પછી, આંતરરાષ્ટ્રીય મીડિયામાં અહેવાલો ઝડપથી ફેલાઈ ગયા, જેનાથી પરિસ્થિતિ વિશે અટકળોને વેગ મળ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button