Top In Ahmedabad

અમદાવાદના તપોવન સંસ્કાર પીઠ ખાતેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ નિમિત્તેઐતિહાસિક પૂર્વ-ઉજવણીનો પ્રારંભ

દેશના ભવિષ્ય માટે વડાપ્રધાનનો સાહસિક નિર્ણય:
ગેમિંગની લત અને અશ્લીલતા પર પ્રહાર,
આગામી પેઢીની ચિંતા કરનાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને સલામ!


ભારતના ભાગ્યવિધાતા અને વિશ્વવંદનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આગામી જન્મદિવસને એક ઐતિહાસિક પૂર્વ-ઉજવણી સ્વરૂપે યાદગાર બનાવવા માટે, અમદાવાદના તપોવન સંસ્કાર પીઠ ખાતે એક ભવ્ય અને અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો. સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી ઉદય માહુરકરજી, તપોવન સંસ્કાર પીઠ અને ત્યાગ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં, પૂજ્ય જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની પ્રેરણાથી સ્થપાયેલી સંસ્થામાં આવેલા હજારો યુવાનોએ રાષ્ટ્રભક્તિના અદમ્ય જુસ્સા સાથે એકત્ર થઈ, રાષ્ટ્રનિર્માણના સંકલ્પને પુનર્જીવિત કર્યો.

આ ઐતિહાસિક દિવસની શરૂઆત “મોદી સંકલ્પ યાત્રા” ના પ્રારંભ સાથે થઈ, જ્યાં યુવાનોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને સંકલ્પોને જન-જન સુધી પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો.


સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી ઉદય માહુરકરજીએ જણાવ્યું હતું કે, “આજે આપણે એક યુગપુરુષનો જન્મદિવસ ઉજવવાની પૂર્વ-ઉજવણી કરી રહ્યા છીએ, જેમણે ભારતને વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું નેતૃત્વ, તેમનો ‘વસુધૈવ કુટુંબકમ્’ નો સિદ્ધાંત અને રાષ્ટ્રના દુશ્મનો સામે ‘બિના ઝુકે, બિના રુકે, બિના થકે, બિના બીકે – ભારત માઁ કી સેવા મેં અડિગ’ રહીને અડગ ઊભા રહેવાની તેમની હિમ્મત, આપણા યુવાનો માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે. પૂજ્ય ચંદ્રશેખરવિજયજી મ.સા.ના સંસ્કાર સાથે ઉછરેલા આ યુવાનો, પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે.”
આ યાત્રાનું મુખ્ય આકર્ષણ, પ્રધાનમંત્રીના નામ નરેન્દ્ર મોદી ના દરેક અક્ષરમાં સમાયેલા મૂલ્યવાન રત્નોને ઉજાગર કરવાનું હતું:
N – રાષ્ટ્ર સર્વોપરી
A – આત્મનિર્ભર ભારત
R – સુધારક
E – સશક્તિકરણ કરનાર
N – દિશાસૂચક
D – સમર્પિત
R – અડગ યોદ્ધા
A – નવા ભારતના શિલ્પકાર
M – મહા રણનીતિકાર
O – સંગઠક
D – અનુશાસિત
I – સર્વસમાવેશક

કાર્યક્રમનો મુખ્ય અંશ સામૂહિક “રાષ્ટ્રભક્તિ શપથ” હતો, જેમાં હજારો યુવાનોએ એક અવાજે, ભારત માતાના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરવાની, રાષ્ટ્રહિત સર્વોપરી રાખવાની અને ભારતના ગૌરવને વિશ્વ ફલક પર વધુ ઉંચો લઈ જવાની પ્રચંડ પ્રતિજ્ઞા લીધી. આ શપથવિધિએ વાતાવરણમાં એક અનોખી ઉર્જા અને દેશભક્તિનો પ્રચંડ તરંગ પ્રસારિત કર્યો.
ઉપસ્થિત યુવાનોએ અત્યંત ભાવુક અને શ્રદ્ધાપૂર્વક પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી માટે જન્મદિવસની શુભેચ્છાઓ કાર્ડ પર લખી, તેમના પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રશંસા વ્યક્ત કરી. કાર્ડ લખતી વખતે દરેક યુવાનના ચહેરા પર એક અનોખો સંકલ્પ અને પ્રધાનમંત્રીના કાર્ય પ્રત્યેનો આદર સ્પષ્ટ દેખાતો હતો. આ ક્ષણે યુવાનોએ ગર્જના કરી કે: “ગરીબોની તકદીર સંવારનારા, યુવાનોને ઉડાન દેનારા – મોદીજીને જન્મદિવસની લાખ-લાખ શુભેચ્છાઓ!” અને “વડનગરનો લાલ, વિશ્વગુરુ ભારતનો ભવિષ્યકાળ!”
આ પ્રસંગે, પૂજ્ય જૈનાચાર્ય શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની દૂરંદેશી અને પ્રેરણાને યાદ કરી. ખાસ કરીને, તે ક્ષણને વાગોળતા જણાવ્યું હતું કે, “પૂજ્ય ગુરુદેવને આજે પણ ૨૦૦૫ નો તે દિવસ યાદ છે, જ્યારે ગુજરાતમાં ગૌવંશ રક્ષા કાયદાની વિજય બાદ તેમણે શ્રી નરેન્દ્ર મોદીજીને અંતઃકરણથી આશીર્વાદ આપ્યા હતા. તેમના તે શબ્દો કે ‘ગુજરાતનો નાથ, ભારતનો ભાગ્ય વિધાતા બનશે’, એ પ્રધાનમંત્રીશ્રી માટે કેવળ ભવિષ્યવાણી નહીં, પરંતુ રાષ્ટ્રસેવાનો એક મહાન દાયિત્વ હતા. આજે જ્યારે તેઓ તે દાયિત્વનું નિર્વહન કરી રહ્યા છે, તો તેમનું સ્મરણ સ્વાભાવિક છે.”
વધુમાં ઉમેર્યું, “ગુરુદેવે ‘ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ના મૂળ મંત્રને આત્મસાત કરી, ‘તપોવન’ ના માધ્યમથી યુવાનોમાં શિક્ષણની સાથે સંસ્કાર સિંચનની જે મશાલ પ્રજ્વલિત કરી, તે આપણને સદૈવ માર્ગ બતાવે છે. તેમનો શીખવેલો માર્ગ આપણને એક એવા ભવ્ય, દિવ્ય અને વિકસિત ભારત (#ViksitBharat) ના નિર્માણ માટે પ્રેરિત કરે છે, જ્યાં યુવાનો ‘સાંસ્કૃતિક મૂલ્યોના પ્રહરી’ બનીને રાષ્ટ્રની સેવા કરે.”

ત્યાગ ગ્રુપના શ્રી હિમાંશુ શાહે ઉમેર્યું, “આજના યુવાનોમાં જે રાષ્ટ્રભક્તિનો જુસ્સો જોવા મળ્યો, તે અદભુત છે. ‘મોદી સંકલ્પ યાત્રા’ દ્વારા આપણે પ્રધાનમંત્રીના દરેક સંકલ્પને જન-જન સુધી પહોંચાડીશું અને દેશસેવાના આ યજ્ઞમાં આહુતિ આપીશું. ખાસ કરીને, વડાપ્રધાનના તાજેતરના ‘ઓનલાઈન ગેમ પર લાગેલી રોક, સુરક્ષિત થશે ભવિષ્ય હર એક’ અને ‘આભાસી દુનિયા પર લાગેલા તાળાથી, બાળકોનું ભવિષ્ય થયું ઉજિયારું’ જેવા સાહસિક નિર્ણયો માટે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. ‘વ્યસનોના દલદલથી યુવાને બચાવ્યો, રાષ્ટ્રનું ભવિષ્ય સુરક્ષિત બનાવ્યું’ – આ દર્શાવે છે કે, ‘નેતા સોચતે અગલે ચુનાવ કી, મોદીજી કો ચિંતા અગલી પીઢી કી’.”
તપોવનના એડવોકેટ અભય શાહે ટિપ્પણી કરી, “પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સ્થપાયેલું આ તપોવન, રાષ્ટ્રનિર્માણના આવા કાર્યક્રમોનું યજમાન બનીને ધન્યતા અનુભવે છે. યુવાનોની આ શપથ, એક નવા, મજબૂત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખશે. પ્રધાનમંત્રી જીનો જન્મદિવસ ફક્ત એક દિવસ નથી, તે એક સંકલ્પ પર્વ છે. ‘ચુનાવ નહીં, અગલી પીઢી કો ચુના, રાષ્ટ્રહિત મેં યહ ફેસલા અનુઠા!’ અને ‘રુકી સમય કી બરબાદી, રુકી જીવન કી તબાહી, અબ યુવા કરેંગે રાષ્ટ્ર કી અગુવાઈ’ જેવા નિર્ણયો ખરેખર પ્રશંસનીય છે.”
આ કાર્યક્રમનું સફળ આયોજન યુવાનોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય મૂલ્યો અને નાગરિક જવાબદારીની પ્રબળ ભાવના કેળવવાની સામૂહિક આકાંક્ષા દર્શાવે છે, જે તેમને રાષ્ટ્ર નિર્માણ પ્રક્રિયામાં સક્રિય અને જાગૃત સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કરશે. યુવાનોના નારા ગુંજી ઉઠ્યા:

“ઓજસ્વી-તેજસ્વી, તપસ્વી-યશસ્વી, મોદી જી કે નેતૃત્વ મેં ભારત પ્રગતિશીલ।”
“તપસ્વી સા જીવન, રાષ્ટ્ર કો સમર્પણ, મોદી જી હૈં ભારત કે ભૂષણ।”
“વડનગર કા લાલ, કર રહા કમાલ, ભારત કો બના રહા વિશ્વ ગુરુ વિશાલ।”
“આત્મનિર્ભર ભારત કા સંકલ્પ, સશક્ત ભારત કા યહી વિકલ્પ।”
“એક ભારત, શ્રેષ્ઠ ભારત, મોદી જી કા હૈ યહ સંકલ્પ।”
“ગરીબો કે બેલી, વંચિતો કે ઉદ્ધારક, જન-જન કે હૈં આપ આધાર।”
“ગાઁવ-ગરીબ-કિસાન કી બાત, મોદી જી કે દિલ મેં હરદમ સાથ।”
“યુવા શક્તિ કા હૈ જોશ, મોદી જી ને દિયા હર લક્ષ્ય।”
“કૌશલ વિકાસ કા હૈ નારા, હર યુવા બને હમારા સિતારા।”
“સપનો કો મિલી ઉડાન, મોદી જી ને દિયા વિશ્વાસ।”
“ડિજિટલ ઇન્ડિયા કા હૈ દમ, અબ દુનિયા સે નહીં હૈં હમ કમ।”
“આયુષ્માન ભારત કા વાદા, હર બીમાર કો મિલા સહરા।”
“જન ધન યોજના ને બદલી તસ્વીર, હર ગરીબ કે હાથ મેં તકદીર।”
“મેક ઇન ઇન્ડિયા કા નારા, હર ઉદ્યોગ બના હમારા।”
“ભારત માઁ કે સચ્ચે સપૂત કો, જન્મદિવસ કી લાખ-લાખ બધાઈ।”
“જન-જન કે મન સે એક હી બધાઈ, યશસ્વી પ્રધાનમંત્રી, યુગ-યુગ જીઓ મોદી જી.”

આ તમામ નારાઓ સાથે, યુવાનોએ એક સ્વરમાં ગુંજાવ્યું કે: “ઓનલાઈન ગેમિંગ ઔર અશ્લીલતા કે દલદલ સે, સમય કી બરબાદી ઔર જીવન કી તબાહી સે બચાકર, યુવા શક્તિ કો રાષ્ટ્રનિર્માણ મેં લગાના હી સચ્ચા શાસન હૈ। Next Election નહીં, Next Generation હૈ મોદી કા લક્ષ્ય!”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button