GUJARAT

ભારતીય મજદૂર સંઘના ૭૦ વર્ષના સ્વર્ણિમ સફર અને મજદૂર સંઘના સંસ્થાપક શ્રદ્ધેય દત્તોપન્ત હેગડીજીની ૧૦૬મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાતમાં દરેક ક્ષેત્રમા કાર્યરત શ્રમિકોની એક વિશાળ રેલી અને જન સભાનું નું આયોજન કરવામાં આવ્યું

દેશ ના શ્રમિકો નો અવાજ બુલંદ બનાવવા શ્રદ્ધેય દત્તોપંત ઠેગડીજી દ્વારા ૨૩ જુલાઇ ૧૯૫૫ ના રોજ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી આજે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સહુથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે. જેઓની ૧૦૬ મી જન્મ જયંતીના પાવન અવસર પર રાષ્ટ્ર ભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટાના શોરૂમ થી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ જશે. બપોરે ૧૧.૦૦ કલાક થી ૩.૦૦ કલાક દરમ્યાન તા. ૧૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ ૧૬૧ સંગઠનો પૈકીના જેવા કે મીડે મીલ, આંગણવાડી, આશા વર્કર, જીઆઈએસએફ, પરિવહન, સ્વયાત્તશાશી, વિદ્યુત, જીએમડીસી, પોસ્ટ, સિમેન્ટ, પોર્ટ, બેંક, રેલ્વે, ઇન્સ્યોરન્સ, બાંધકામ, પેન્શનર્સ, ફિક્સ પે, ઓ.એન.જી.સી, હેલ્થ વર્કર, પ્રાઇવેટ ઉધોગ, પબ્લિક સેક્ટર, સરકારી કર્મચારી, ઇ.એસ.આઈ.સી. જેવા અન્ય સંગઠનોના અંદાજિત ૧ લાખ કાર્યકર્તા ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ માનનીય એચ. જે. પંડ્યાજી, અખિલ ભારતીય મહામંત્રી માનનીય રવિન્દ્ર હિમતેજી, ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી સી.વી.રાજેશજી વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન કરશે.


ઉપરોક્ત સંગઠનોના ઘણા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ થયેલ નથી. જેની ચર્ચા પણ આ કાર્યક્રમમાં થનાર છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મંત્રીશ્રીઓને અમારા સંગઠનના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવે છે.


કાર્યક્રમનું સ્થળ:-
રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં, એબીસીડી પ્લોટ વલ્લભ સદનની સામેનું ગ્રાઉન્ડ અમદાવાદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button